આપણો ઇતિહાસ આપણો વારસો

આ બ્લોગમાં ગુજરાત નો,ભારતનો ઇતિહાસ તેમજ ઐતિહાસીક ચરીત્રો, લોકવાર્તાઓ, લોકસાહિત્ય,દુહા-છંદ, લોકગીતો , ભજનો વગેરે આપવામાં આવે છે જેથી રસીક વાચકો નેં તમામ માહિતિ મળી રહે

Deal's of The Month

Responsive Ads Here

ગુરુવાર, 30 જાન્યુઆરી, 2020

સારંગદેવ મકવાણા


ગુજરાતના ઇતિહાસમાં સોલંકી વંશના શાસનને સુવર્ણકાળ માનવામાં આવે છેે . એ સમયે લોકોની સામાજીક, આર્થિક, અને સાંસ્કૃતિક  સ્થિતિ ખુબજ સારી હતી . તે કાળમાં મુળરાજ, ભીમદેવ, કર્ણ, સિધ્ધરાજ, કુમારપાળ અને બીજો ભીમદેવ જેવા મહાન અને પ્રતાપી રાજાઓ થયા. 

   ઇ. સ. ૧૧૭૮ માં ચાલુકયરાજ(સોલંકી) ભીમદેવબીજો પાટણની ગાદી એ બેઠો . આ રાજા બહુ જ શુરવીર અને બળવાન હતો. પણ તે ઉતાવળીયા સ્વભાવનો હતો. ઇતિહાસમાં તેને ભોળા ભીમ તરીકે ઓળખાય છે . 
  ગુજરાતનો રાજા ચાલુકરાય ભીમ અને દિલ્લીનો રાજા પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે કટુતા હતી. બંને વચ્ચે કોઇ વાતે વિરોધ ચાલ્યો આવતો હતો . તે સમયે ગજની નાે લુંટારો શહાબુદ્દીન ઘોરીએ દિલ્લી ઉપર આક્રમણ કર્યું હતું પરંતુ પૃથ્વીરાજ ચવ્હાણે તેને હરાવી બબ્બે વાર પાછો કાઢવામાં આવ્યાે હતો . 
  ચાલુક્યરાજ ભીમ, પૃથ્વીરાજ ને હરાવી બદલો લેવા માંગતો હતો. તેથી તેણે યવન શહાબુદ્દીઘોરીનો સાથ લેવાનું વિચાર્યુ. તેણે પોતાના વિશ્વાસુ એવા શુરવીર મકવાણા સારંગદેવને બોલાવ્યા . બોલાવીને તેને ગજની નગર જવાનો નિર્દેશ કરતા કહ્યુ કે તમે શાહબુદીન ઘોરીને જઇને કહેજો  કે ચાલુક્યરાજ ભીમ આજથી તમારાં પક્ષ માં છે. તમારી સહાયમાં રહેશે . 
       તેનું વર્ણન वंश भास्कर ગ્રંથમાં વિસ્તાર થી આપ્યું છે:
*अठी सुं म्हे आवां जरै  ही उठीसूं थे सज्जीभूत होय सामली आवो अर चालुक्कां रे प्रताप प्रमारां नूं पाडि तेगां रात डाका चहुवाणं नूं चखावो साकंभरी रा देस में तो अणहिलपुर रो अमल कियो जावसी ।
   अर नागोर द्रंग रो देस थांहरे काज उपहारीभूत लियो जावसी । इण पत्र लिखाय पातसाह री भेट निमित एकसत तुरंग दोय गजराज पैंतालीस कांतलोहमय खड्ग च्यारि रंगदार चामर साथ देर सारंगदेव नूं गजनवी विदा कीधो ।
  जिण दरकूंचां जाय उपहार दिखाय चालुक्यराजरो पत्र दीधो ।।१९।।
  ભાષાન્તર: આ બાજુથી અમે અમારી સેના સજ્જ કરીને આવશુ,  ત્યાંથી તમે તમારી સેના લઇને આ ચડી આવો. જેથી બંને મળી ચૌહાણો ને હરાવીએ. તેના બદલામાં નાગોર પ્રદેશ તમને ઇનામમાં આપશું. આ પ્રમાણે પત્ર લખી બાદશાહને ભેટસ્વરુપ એકસો ઘોડા , બે હાથી અને પિસ્તાલીસ ઉંચી ધાતુ માંથી બનેલી ઉમદા તલવારો , ચાર રંગીન છત્ર વગેરે સામગ્રી સહિત સારંગદેવને ગજની જવા વિદાય કર્યા. મકવાણા રાજા સારંગદેવ દડમજલ કૂચ કરતા ગજની પહોંચી ઉપહાર ભેટ ધરી ચાલુકરાજ ભીમનો પત્ર આપ્યો. 
  तिण पत्र मैं आपरैं साकंभर पातसाह रै नागोर यो लेख देखतां ही सभा रै बीच गौरी सहाबुद्दीन कोप गहीयो ।
 अर तत्तार खुरासाण न्याज निसुरुत् रुस्तुम् फीरोज इत्यादिक प्रत्यंतधरारा किंवाड़ प्रबीर जन उठै हूँता तिंका भी   चालुकराज नूं अतिदर्प कहियो ।।२०।।
 પત્ર વાંચી બાદસાહે જોયુ કે ચાલુક્યરાજે પોતાના માટે સાંભર પ્રદેશ અને બાદસાહ માટે નાગોર પ્રદેશ  ! ! પોતાના ભર્યા દરબારમાં બાદસાહ ક્રોધથી લોલચોળ થઇ ગયો. તેના દરબારીઓ એ પણ ચાલુકરાજ ભીમને ઘમંડી કીધો. 
जवनेस जंपीयो बिजय रो बिभाग बिजा नूं बांटी देण रो संकल्प तो कातरलोंकां रै सुणीजै ।
   परंतु आपरै रासि संचय करि सहायक नूं कण देण री अधिकाई मुणीजै ।।२१।।
   પત્ર વાંચીને યવનપતી ઘોરી બોલ્યો કે યુધ્ધમાં  જીતેલા  પ્રદેશ ના ભાગો તો કાયરો પાડે. અરે દંભી ચાલુકરાયે વિજય પછી પ્રદેસો ના આ રીતે ભાગ પાડવાની ગુસ્તાખી કેમ કરી ?  
 ચાલુક્યને આટલું બધુ અભીમાન?  જેના ગુજરાતદેશ ઉપર વારેવારે ચઢાઇ કરી મહમદ ગજનીએ જીત મેળવી છે . અરે કોઇ મૂઢ શિયાળ કોઇ સિંહની સહાયથી ગજરાજને મારી તેને પોતાનો શિકાર માને ! અરે એટલુ જ નહી એ ગીદડ મરેલા હાથીના હીસ્સામાંથી સિંહને માત્ર તેની પૂંછડી જ દેવા ઇચ્છે છે ! અરે કાયર ચાલુક્ય(ભીમ) ગજનવીના પ્રતાપે ચહુવાણના રાજ્ય છીનવી શાહબુદ્દીનને માત્ર નાગોર પ્રદેશ આપવાની વાત કરે છે ? ? એટલે હવે અમારી પ્રાથમિકતા એ રહેશે કે પહેલા ચૌહાણોને હરાવી બાદમાં ગુજરાતનો નાશ કરશું . આવુ સાંભળી મકવાણા સારંગદેવે કીધુ કે યવનો જાત ઉપર જઈ ઉભા રે. યવનોનો જાતિ સ્વભાવ એવો છે કે પોતાના જ વખાણ કરે . પોતાની જ બડાઇ કર્યા કરે પણ તેઓ એ નથી જાણતા કે ચાલુક્યરાજ ભીમ તમામ મ્લેચ્છ દેશોને પોતાની શરણમાં રાખવાની હેસિયત રાખે છે. અરે તમારી જેવા કેટલાય રાજાઓને હરાવી પોતાને પગે શીશ જુકાવ્યા છે. 
मुसलमांनां रो जोर आपरै ही घर रहै छै । अर रजपूतां सूं मिलीयां अद्रि रा उदक समान निस्सेस ढलि बहै छै ।
  या कहतां ही पातसाह री सैन सूं वजीर रो तीर मंकुवाण री छाती रै पार फूटो ।
    सो लोह लागतां ही सारंगदेव रा हाथ रो चंद्रहास रो प्रहार छूटो ।।२४।।
  તુરકો નુ જોર તો પોતાના ઘરમાં જ ચાલે એતો અમારો રાજપૂતો નો સહકાર થી તમે ગમે ત્યાં લડી શકો છો . બાકી તમારુ શું વજુદ છે ?  આટલા શબ્દ સાંભળતા જ બાદસાહના ઇશારે વજીરનું તીર મકવાણા સારંગદેવની છાતીએ લાગ્યું. મકવાણાના શરીર પર તીરનો ઘા લાગતા તેના હાથમાં રહેલી તલવારથી પ્રહાર કર્યો. 
 तिण सूं गजनवी रा हुजावहेजम रो मस्तक चक्र होय पडीयो ।
इणरीती केही जवनां रा प्राण देहरुप कारासदन रा बंदीवान छुडाय सहाबुद्दीन री सभा मैं सारंगदेव टूक टूक होय झडियो ।
  मंकुवाण रो मरण सुणता ही चालुक्य संधा रै साथ सभा मैं बोलियो जै खुरासाण रो तखत गौरी सहाबुद्दीन रै रहाऊं ।
 तो अब लज्जा रै अधीन आछो पुरुषार्थ खोय भीम नाम न कहाऊं ।।२५।।
મકવાણા ની તલવારના જાટકે ગજનવીના હુજાબહૈજબ નુ મસ્તક કપાઇ ભુમિ ઉપર પડ્યુ. આમ કેટલાય યવનોના દેહને કારાવાસ માં કેદ પ્રાણો ને છોડાવતા સાહબુદ્દીન ઘોરીના દરબારમાં મકવાણા સારંગદેવ નું શરીર ટુકડે ટુકડે  પડ્યું. અર્થાત સારંગદેવ ઘોરીના કેટલાય યવનો ને મારી પછી મર્યાં.  

x

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો